Anokha Gujaratno 1 Anokho Gujarati

ગુરુવાર, 21 જાન્યુઆરી, 2016

VERY IMPORTANT FOR REVENUE TALATI EXAM : FIRST IN INDIA

Very Important For Revenue Talati Exam : First In India

Hello Friends ! Here is an important file related Revenue Talati Exam. This Is A File Of 'First In India'. In this file you will find lots of interesting things which firstly happened in Our India.


GFSU CCC Exam, 02 to 03 January 2016 Candidates Result Out

GFSU CCC Exam, 02 to 03 January 2016 Candidates Result Out : Gujarat Forensic Sciences University Candidates Result has been provided here. GFSU Conducts CCC exam throught out the state for the Government employees of Gujarat State.GFSU has Published Notification of CCC Exam of Date : 02 to 03 January 2016 Candidate Result ..you can download Candidates Result from GFSU Official website www.gfsu.edu.in or from below link.

CCC Examination Result: Date: 02nd Jan 2016 
CCC Examination result: Date: 03rd Jan 2016

JEMANE CCC EXAM BAKI CHHE TENA MATEUPAYOGI KAI UNIVERSITY MA KYU COMPUTER VERSION CHE TENU LIST.

CCC VERSION

(1) GANDHINAGAR GTU WINDOWS 8 OFFICE 2003

(2) GUJARAT UNIVERSITY WINDOWS 7 OFFICE 2007 ANE 2010

(3) SAURASTRA UNIVERSITY WINDOWS 7 ANE OFFICE 2003

(4) SARDAR PATEL UNIVERSITY WINDOWS 7 ANE OFFICE 2007

(5) MS UNIVERSITY WINDOWS 7 ANE OFFICE 2007

(6) IITRAM UNIVERSITY AMDAVAD WINDOWS 7 ANE OFFICE 2007

(7) VNSG UNIVERSITY WINDOWS 7 AND OFFICE 2003

(8) GUJARAT FOREIGNSIK SCIENCE UNIVERSITY WINDOWS 8 OFFICE 2007

બુધવાર, 20 જાન્યુઆરી, 2016

ICDS Viramgam, Junagadh & Sabarkantha Anganwadi Worker & Helper Posts Recruitment 2016 Notification

ICDS Viramgam, Junagadh & Sabarkantha Anganwadi Worker & Helper Posts Recruitment 2016 Notification











ભારતમાં IS આ વિસ્તાર પર સૌ પ્રથમ કબજો જમાવશે

ભારત પર 2020 સુધીમાં કબજો જમાવવાની (ઈસ્લામિક સ્ટેટ) આઈએસની યોજના છે. આઈએસનો હુમલો ખાળવા માટેની દેશમાં તૈયારી શરૂ થઈ ગઈ છે. આઈએસ જે વિસ્તાર પર પ્રથમ કબજો જમાવશે તે વિસ્તારના અનેક સ્થળોએ આઈએસના હુમલાને મારી હટાવવા માટે ટ્રેનિંગ કેમ્પ શરૂ થઈ ગયા છે. આ કેમ્પોમાં મહિલા અને પુરુષોને જ નહીં પણ બાળકોને પણ તાલિમ આપવામાં આવી રહી છે. બાળકોની વાત કરીએ તો ટ્રેનિંગ કેમ્પોમાં આઠ વર્ષના બાળકો પણ તાલિમ લઈ રહ્યા છે.
આઈએસ સામે લડવા માટે હિન્દુ સ્વાભિમાન સેનાની રચના કરવામાં આવી છે અને તે
ના નેતા છે ચેતન શર્મા છે. ગાઝિયાબાદ જિલ્લાના ડાસનાના મંદિરમાં આ સંગઠનનું હેડકવાર્ટર છે.  હિન્દુ સ્વાભિમાન સેના મુઝફ્ફરનગર અને મેરઠ સહિતના ક્ષેત્રોમાં 50 જેટલા ટ્રેનિંગ કેમ્પ ધમધમે છે. અત્યાર સુધી 15,000 લોકોને યુદ્ધ માટેની તાલિમ આપવામાં આવી છે.
સંગઠન મુખ્યત્વે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં જ કેન્દ્રીત છે. ઉત્તર પ્રદેશનો આ વિસ્તાર કોમવાદની દ્ર્ષ્ટિએ ભારે સંવેદનશીલ છે. સંગઠનના મતાનુસાર આઈએસ 2020 સુધીમાં ભારતમાં સૌ પ્રથમ પશ્ચિમ ઉત્તર પ્રદેશ પર કબજો જમાવશે. ચેતમ શર્માએ જણાવ્યું હતું કે સંગઠનના સભ્યોની સંખ્યામાંસતત વધારો થઈ રહ્યો છે. આઠથી લઈને 30 વર્ષની વયના લોકો સંગઠનમાં જોડાઈ રહ્યા છે. અમે મુખ્યત્વે યુવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ.
સંગઠનમાં સીધેસીધા તલવાર અને બંદુક ચલાવવાની તાલિમ અપાતી નથી. પ્રથમ  છ મહિના સુધી માનસિક તાલિમ અપાય છે. ગતાના છંદ શીખવાડવામાં આવે છે. હિન્દુ મોતથી ડરતા નથી. કારણ કે તે પુનઃજન્મ લે છે. મોદીનગર પાસે રોરી ગામના હિન્દુ સ્વાભિમાન કેમ્પમાં પૂર્વ સૈનિક પરમિંદર આર્ય સભ્યોને આઈએસ સામે લડવાની તાલિમ આપે છે. જ્યારે ગાઝિયાબાદના બમહેતામાં પૂર્વ પ્રોફેશનલ પહેલવાન અને માર્શલ આર્ટિસ્ટ અનિલ યાદવ ટ્રેનિગ આપી રહ્યા છે. હિન્દુ સ્વાભિમાન સેનાએ મંદિર બહાર એક સૂત્ર લખ્યુ છે જે કહે છે કે હિન્દુ સિંહો, શાનથી જીવવું હોય તો શાનથી મરવું સીખો.

આ આત્મહત્યા નથી લોકશાહીની હત્યા છે : કેજરીવાલ

હૈદરાબાદ, તા. 20/01/2016

  • દલિત વિદ્યાર્થી રોહિતની આત્મહત્યા મુદ્દે વાતાવરણ તંગ : કોંગ્રેસે દત્તાત્રેય અને સ્મૃતિ ઈરાનીના રાજીનામા માગ્યા
હૈદરાબાદ યુનિવર્સિટી ખાતે દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યાનો મુદ્દો રાજકીય રંગ ધારણ કરી રહ્યો છે. રવિવારે રોહિતે કરેલી આત્મહત્યા બાદ સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓ દ્વારા ઠેરઠેર વિરોધ કરાયા બાદ મંગળવારે રાજકારણીઓ દ્વારા વોટબેંકની રાજનીતિ શરૂ કરવામાં આવી હતી. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી મંગળવારે હૈદરાબાદ ખાતે પહોંચી ગયા હતા. વિદ્યાર્થીઓ સાથે મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું કે, યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર અને કેન્દ્રીય મંત્રી દ્વારા જ રોહિતની આત્મહત્યા માટે વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું. રોહિતની માતા સાથે મુલાકાત કરી હતી.
બીજી તરફ અનેક વિદ્યાર્થી સંગઠનો અને વિદ્યાર્થીઓ દ્વારા મોટાપ્રમાણમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે આ ઘટનામાં બંડારુ દત્તાત્રેય અને સ્મૃતિ ઈરાનીના રાજીનામાની માગણી પણ કરી હતી. કેન્દ્ર વિરોધી ઘટનામાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે પણ ઝંપલાવ્યું હતું. તેલંગણા યુવા જાગ્રતિ મોરચા દ્વારા દત્તાત્રેયના ઘર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સ્મૃતિ ઈરાની અને તેમના મંત્રાલય સામે આરોપ મુકવામાં આવ્યો છે કે, તેમણે હૈદરાબાદ યુનિવર્સિટીને દબાણ કર્યું હતું કે,બંડારુની અરજી વીવીઆઈપીની અરજી તરીકે સ્વીકારીને પાંચ વિદ્યાર્થીઓ સામે ઝડપથી પગલાં લેવામાં આવે. માનવ સંસાધન મંત્રાલય દ્વારા પાંચ વખત બંડારુની અરજી પર પગલાં લેવા રિમાઈન્ડર મોકલવામાં આવ્યા હતા. આ મુદ્દે માનવસંસાધન મંત્રાલયે જણાવ્યું હતું કે, આ એક સામાન્ય પ્રક્રિયા છે અને અમે તેનું જ પાલન કરતા હતા. અમે કોઈ દબાણ ઉભું કર્યું નહોતું. મંગળવારે તપાસ માટે માનવ સંસાધન મંત્રાલયની ટીમ હૈદારબાદ ખાતે પહોંચી ત્યારે તેમને પાછા જવા માટે પણ વિદ્યાર્થીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
દેશભરમાં વિદ્યાર્થીઓ દ્વારા સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન
દલિત વિદ્યાર્થીની આત્મહત્યા અને અન્ય વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવાના વિરોધમાં દેશભરમાં આક્રોશ ફાટી નિકળ્યો છે. દિલ્હીથી માંડીને હૈદારાબાદ સુધી અનેક સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. બીજી તરફ એફટીઆઈઆઈ પુણેના વિદ્યાર્થીઓ પણ જોડાયા છે. તેમણે મંગળવારે એક દિવસ માટે ભૂખ હડતાળ કરી હતી. તેમણે પણ આ આત્મહત્યાને રાજ્ય દ્વારા પ્રેરિત જણાવી છે.
જવાબદારોને કડક સજા થાય : રાહુલ
રાહુલ ગાંધીએ મંગળવારે હૈદરાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને રોહિતની માતા સાથે મુલાકાત કરી હતી. તેમણે જણાવ્યું કે હું અહીંયાના વિદ્યાર્થીઓ સાથે સહમત છું. રોહિતે આત્મહત્યા કરી હતી તે વાત બરોબર છે પણ તેના માટે યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર અને કેન્દ્રીય મંત્રી દ્વારા વાતાવરણ ઊભું કરાયું હતું. આત્મહત્યા પાછળ જે લોકો જવાબદાર છે તેમને કડક સજા પણ થવી જોઈએ.
દલિતોના ઉદ્ધારની વાતો ખોટી છે : કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે ટ્વિટ કર્યું હતું કે, આ આત્મહત્યા નથી, હત્યા છે. તે લોકશાહી, સામાજિક ન્યાય અને સમાનતાની હત્યા છે. મોદીજીએ આ ઘટનામાં આરોપી મંત્રીઓને હાંકી કાઢવા જોઈએ તથા ઘટના મુદ્દે દેશની માફી માગવી જોઈએ. એક તરફ મોદી સરકાર દલિતોના ઉદ્ધાર માટે વાતો કરે છે અને બીજી તરફ તેમના જ મંત્રીઓ દલિત વિદ્યાર્થીઓને પરેશાન કરે છે.
રાજકીય રોટલા શેકાવા લાગ્યા
એઆઈએમઆઈએમના નેતા અને હૈદરાબાદના સાંસદ અસાદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું કે, યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરની ધરપકડ કરવી જોઈએ. કેન્દ્રીય મંત્રી દત્તાત્રેયને પણ પદ પરથી દૂર કરવા જોઈએ.
ભાજપના નેતા શ્રીકાંત શર્માએ જણાવ્યું કે, કોંગ્રેસ પાસે કોઈ કામ નથી અને રાહુલ મોટાભાગે વિદેશમાં જ રહેતા હોય છે. આવી કોઈ ઘટના બને ત્યારે રાજકારણ કરવા માટે દોડી જાય છે. તેમની પાસે અન્ય કોઈ મુદ્દા જ નથી.
ઘટનાને ગંભીરતાથી લો અથવા...
ભાજપની રાષ્ટ્રીય કાર્યકારણીના સભ્ય સંજય પાસવાને સરકાર સામે ગંભીર ચેતવણી ઉચ્ચારી છે. તેણે ટ્વિટ કરતા જણાવ્યું હતું કે, સત્તાનું રાજકારણ કરતા ભાગીદારોએ રોહિત પ્રકરણને ગંભીરતાથી લેવું જોઈએ અથવા વિરોધ, વિદ્રોહ, બદલા અને પ્રતિક્રિયાઓ માટે તૈયાર રહેવું જોઈએ.
અશોક વાજપાઈએ ડી લિટની પદવી પરત કરી
દલિત યુવાનના આત્મહત્યાનો મુદ્દો ગંભીર બની રહ્યો છે. હૈદરાબાદથી માંડીને દિલ્હી સુધી વિવિધ વિદ્યાર્થી સંગઠનો તથા વિદ્યાર્થીઓ દ્વારા મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. હૈદરાબાદ પોલીસે પોતાનો અહેવાલ તૈયાર કરીને ગૃહમંત્રાલયને આપી દીધો છે. બીજી તરફ જાણીતા લેખક અશોક વાજપાઈએ મંગળવારે પોતાની ડી લિટની પદવી પરત કરી દીધી છે. હૈદરાબાદ દ્વારા તેમને આ પદવી એનાયત કરવામાં આવી હતી. બીજી તરફ નેશનલ કમિશન ફોર શિડયુલ કાસ્ટ દ્વારા નારજગી વ્યક્ત કરવામાં આવી હતી. કમિશનના વડા પીએલ પુનિયાએ જણાવ્યું કે, કમિશન આ મુદ્દે સતત નિરીક્ષણ કરી રહ્યું છે. તપાસમાં જરૂર જણાશે તો અધિકારીને સમસન્સ પાઠવીને તપાસ ઝડપી બનાવવા માટે પણ પ્રયાસ કરવામાં આવશે.

ગુજરાતના બે બાળકોને મળશે PMના હસ્તે બ્રેવરી એવોર્ડ

સાહસનો ઉત્‍કૃષ્‍ટ દાખલો પુરો પાડનાર બે અનાથ બાળકોને રાષ્‍ટ્રીય બાલવિરતા પુરસ્‍કારથી સન્‍માનવામાં આવશે. રાજયના આ બે બાળકો સહિત દેશભરના 25 બાળકોને આ પુરસ્‍કાર એનાયત થઇ રહયો છે જેમાં દાહોદ જીલ્લાના 13 વર્ષીય રાકેશ પટેલ અને 10 વર્ષીય કશીષ ધાનાણીને ગણતંત્ર દિવસ પહેલા તા.24મી જાન્‍યુઆરીએ નવી દિલ્‍હીમાં પ્રધાનમંત્રી બાળવિરતા પુરસ્‍કાર આપવામાં આવશે. આ બધા બાળકો ગણતંત્ર દિવસની પરેડમાં પણ સામેલ થશે.
દાહોદના દેવગઢ બારીયાના રૂવાવારી ગામના રહેવાસી અનાથ બાળકે ગયા વર્ષે 14 જૂને 6 વર્ષના દિનેશ પટેલને 20 ફુટ ઉંડા કુવામાં પડયા પછી બચાવી લીધો હતો. આ અનાથ બાળક પોતાના ઘર પાસે બેઠો હતો ત્‍યારે કેટલાક બાળકો દિનેશ કુવામાં પડી ગયો તેવા બરાડા પાડી રહયા હતા. ત્‍યારે રાકેશ નામના આ બાળકે ઘડીભરના વિલંબ વગર મિત્રો સાથે કુવા પર પહોંચી કુવામાં છલાંગ લગાવી હતી. દિનેશના વાળ પકડીને તેને કુવામાંથી બહાર કાઢયો હતો. આ કુવો વનસ્‍પતી અને ઝેરીલા કિડાઓથી ભરપુર હતો. રાકેશ નાનપણમાં તળાવમાં તરતા શીખ્‍યો હતો જે તેને એક જીંદગી બચાવવા માટે કામ લાગ્‍યું હતું.

આવી જ રીતે અમદાવાદમાં રહેવાવાળા કશીષ ધાનાણીએ પડોશમાં રહેતા પરિવારના જર્મન શેફર્ડ કુતરાના મોઢામાંથી પોતાની 15 મહિનાની બહેનને ફાડી ખાતા બચાવી હતી. આ ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો.